ભારત અને EFTAના ચાર સભ્ય દેશો વચ્ચે વેપાર કરાર: સ્વિટ્ઝર્લેન્ડ ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર
- 11 Mar, 2024
ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) ના ચાર સભ્ય દેશો વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર . આ પ્રકારનો આ પહેલો કરાર હશે જેમાં ૧૫ વર્ષના સમયગાળામાં ૧૦૦ બિલિયન ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા કરવામાં આવી . આ રોકાણથી ભારતમાં ૧૦ લાખ રોજગારીની તકો ઊભી થશે તેમ આ બાબતથી વાકેફ સુત્રોએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર અંગે પ્રશંસા કરી.
ત્યારબાદ તેમણે કહ્યું “ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરીને આનંદ થયો. આ સીમાચિહ્નરૂપ કરાર આર્થિક પ્રગતિને વેગ આપવા અને આપણા યુવાનો માટે તકો ઊભી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. EFTA રાષ્ટ્રો સાથેના અમારા જોડાણને મજબૂત કરવા આવતા સમય વધુ સમૃદ્ધિ અને પરસ્પર વિકાસ લાવશે.”
યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન રાષ્ટ્રોની (આઇસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટાઇન) એક ટીમ ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવા દિલ્હી પહોંચયા .ભારત દ્વારા યુરોપીયન દેશ અથવા સંસ્થા સાથે આ પહેલો અને છેલ્લા દાયકામાં ચોથો વેપાર કરાર હશે. ફેબુ્રઆરી ૨૦૨૧ માં, ભારતે મોરેશિયસ સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. તે પછી, ગયા વર્ષે સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા સાથે સમાન કરાર કરવામાં આવ્યો હતો.
ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ હેઠળ બંને રાષ્ટ્રો વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનોમાં ડયુટી ફ્રી વેપાર કરે તેવી અપેક્ષા છે. કરાર હેઠળ ૧૦૦ બિલિયન ડોલરના રોકાણની પ્રતિજ્ઞાા ભારતની મોટી જીત હશે. આનું કારણ એ છે કે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશોમાં આયાત જકાત ખૂબ ઊંચી નથી અને ભારત મર્યાદિત બજાર ઍક્સેસ લાભ મેળવી શકે છે.
ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશો ૧૫ વર્ષથી વધુ સમયથી વેપાર અને રોકાણ કરાર પર વાટાઘાટો કરી રહ્યા હતા. લગભગ ૧૩ રાઉન્ડની વાટાઘાટો બાદ ૨૦૧૩ના અંતમાં મંત્રણા અટકી ગઈ હતી. આ પછી, ૨૦૧૬ માં ફરીથી વાટાઘાટો શરૂ થઈ અને ચાર રાઉન્ડની મંત્રણા પછી, ૨૦૨૩ માં મામલો ઉકેલાશે તેવું લાગતું હતું.
યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનના ચાર દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશો સાથેનો ભારતનો વેપાર ખાધમાં હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩માં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે ભારતની વેપાર ખાધ ૧૪.૮ બિલિયન ડોલર હતી કારણ કે આ દેશોમાં ૧.૯ બિલિયન ડોલરના માલની નિકાસ કરવામાં આવી હતી જ્યારે આયાત ૧૬.૭ બિલિયન ડોલર હતી. સ્વિત્ઝર્લેન્ડથી સોનાની આયાતને કારણે વેપાર ખાધ વધી છે. દેશમાં લગભગ ૮૦ ટકા સોનું સ્વિત્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ